ઈતિહાસ અને સ્થાપત્ય

પાલનપુર શહેર, જીલ્લો - બનાસકાંઠા

પાલનપુર ગુજરાતની સૌથી મહત્વપૂર્ણ રિયાસતોમાંથી એક હતુ. આ રિયાસતની વિશેષતા એ હતી કે પાલનપુરની જે રિયાસતના નવાબ હતા તેઓ લોહાની પઠાણ હતા પરંતુ જે ડોમીનીયન કોમ્યુનીટી હતી તે પાલનપુરી જૈન કોમ્યુનીટી હતી.

જે ના ફક્ત ભારત પરંતુ આખી દુનિયામાં ડાયમંડ ટેડ કંટ્રોલ કરે છે. પાલનપુરના ઇતિહાસમાં જોવા મળ્યું છે કે, લોહની પઠાણ નવાબ અને પાલનપુરી જૈન ડાયમંડ વેપારીઓ વચ્ચે ૬૦૦ વર્ષ સુધી સારા સબંધ રહ્યા છે. અને જે હિન્દુ મુસ્લિમ એકતાનું ઉતમ ઉદાહરણ પુરું પાડે છે.

પ્રારંભિક સમયમાં પાલનપુર જૈન ગ્રંથોમાં ઉલ્લેખિત છે. તેના સ્થાપક પ્રહલાદન દેવ હતા આથી પ્રહલાદનપુરા તરીકે ઓળખાતું હોવાનું કહેવાય છે. તે ફરીથી પાલનસિંહ ચૌહાણ દ્વારા જીતવામાં આવે છે અને ૧૪ મી શતાબ્દીથી તેને પાલનપુર તરીકે ઓળખવામાં આવે છે. અન્ય લોકો વાયકા મુજબ તેની સ્થાપના પાલ પરમાર દ્વારા કરવામાં આવી હતી જેમના ભાઈ જગદેવે નજીકના જગાણા ગામની સ્થાપના કરી હતી.

અધિકારીશ્રીઓ

પાલનપુર નગરપાલિકા, જીલ્લો - બનાસકાંઠા

શ્રી સુનિતાબેન કનુભાઈ પટેલ

પ્રમુખશ્રી, પાલનપુર નગરપાલિકા

શ્રી દશરથસિંહ જે સોલંકી

ઉપપ્રમુખશ્રી, પાલનપુર નગરપાલિકા

શ્રી નાગજીભાઈ ડી. દેસાઈ

કારોબારી ચેરમેનશ્રી, પાલનપુર નગરપાલિકા

શ્રી જીગરભાઈ જે. પટેલ

મુખ્યઅધિકારીશ્રી પાલનપુર નગરપાલિકા

ચો.કિ.મી વિસ્તાર

મીટર ઉંચાઈ

કુલ અંદાજીત વસ્તી (૨૦૨૫)

Percent કુલ સાક્ષરતા

નોંધ: આ વેબસાઈટ પર દર્શાવેલ માહિતી,આંકડા કે રકમ નગરપાલિકાના રેકોર્ડ પરથી લીઘેલ છે.પરંતુ શરતચૂક કે અન્ય કારણસર કોઈ પણ પ્રકારની માહિતીમાં ખામી કે ભૂલ હોય તો નગરપાલિકાના રેકોર્ડ પરની માહિતી સાચી ગણવી. આ અંગે વેબસાઈટને કોઈ પણ પ્રકારે જવાબદાર ઠેરવી શકાશે નહી.